ગુરુવાર, 14 જૂન, 2012


મજામા?

majaamaa.blogspot.com
..................................................................................................

છગન - કમલ પ્રકાશન /  Chhagan - Kamal  Prakashan (Publication)
..................................................................................................................................................

નાનીમોટી ખબરોને સાચીખોટી રીતે સમજવાનો એક હળવો-ગંભીર, કડવોમીઠો પ્રયોગ!

              કોપીરાઇટ હસમુખ પારે
                                                                                                       
 "કેમ છો? મજામા?" એવું કોઈને બોલતાં સાંભળું એટલે થાય કે નક્કી ગુજરાતી હશે.
   (ગુજરાતી અને અંગ્રેજી ભાષાના જાણકાર તેમજ વિચારક - પર્સી પારેખ)
.................................................................................................................................................................................................. 

જે આ પવિત્ર સાહિત્યનુ નીત્ય પઠન કરશે તેને અગણીત લાભ થશે. ભક્તકવિ નરસિંહ મેહતાને દિવ્યદ્રશ્ટિથી આ ખબર હતી, અને એટલે જ તેઓએ "મજામા?" માટે લખ્યુ કે, " ભણે નરસૈયો તેનુ વાંચન કરતા કુળ એકોતેર તાર્યા રે"! અસ્તુ.

.......ચાલો, "મજામા?"ની શરૂઆત "આંટીઘુંટી"થી કરીએ! ગુજરાતી ભાષામાં આ એક નવું પગરણ છે; એ માટેનો વધુ રસિક ભાગ--વધુ ચોખવટ--આવતા અંકે!

એ દરમીયાન, તાત્કાલિક એક નમુનો: 

આંટીઘુંટી
29-5-12/ મુંબઇ સમાચાર /  ભીતરનાં વહેણ / કુલદીપ નાયર
"કૉંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષે સમજવાની જરૂર છે"

કેટલાક રાજ્યોના પ્રધાનો પણ બે નંબરના નાણાં ધરાવે છે. રાજકીય કારણથી તેમની સામે પગલાં લઈ શકાતા નથી. આથી લોકપાલ હોવો જોઈએ. કૉંગ્રેસ અને ભાજપે સમજવાની જરૂર છે કે લોકોને કાયમ મૂર્ખ બનાવી શકાતા નથી. - કુલદીપ નાયર
 
--- કાયમ નહી તો, ઘ્ણા વરસો સુધી  લોકોને મૂર્ખા બનાવી શકા છે એ તો ક્બુલ કરશો ને ?!!


હવે લાંચરુશ્વતથી  પણ એક મોટા પ્રશ્નની વાત કરીએ: આઝાદી પછી 65 વરસના--એક આખી પેઢી જેટલા--સમય બાદ, ભારતમાતાના કુટુમ્બની શું પરિસ્થિતિ છે એ બાબત માટે દરેક ભારતીયને પૂરતી ખબર ન હોવી જોઈએ?

દેશમા એક બાજુથી કૂદકે ને ભુસકે વિકાસ થઇ રહ્યો છે તો બીજી બાજુએ રોજબરોજના જીવનમા અનેક મુશ્કેલીઓ છે. હમણા "ગેલપ સર્વે" થયેલો તેમા જણાવ્યુ કે ત્રીજા ભાગના ભારતવાસીઓને પૂરતુ સુખ કે સંતોષ નથી.

લક્ષ્મી, સરસ્વતી અને ઇંન્દ્રના લાડકા એવા મોટા માણસોને આ વિષયની સારી એવી સમજ હશે જ. આમા મોટા પ્રાધ્યાપકો, વેપારીઓ, ધનપતિઓ, નિષણાતો, બેંકરો, મોટા સરકારી અધિકારીઓ અને સત્તાધારીઓ  આવી જાય. સામી બાજુ, સામાન્ય માણસો આવા અગત્યના વિષય માટે કેટલુ જાણે છે એ કેમ શોધવુ?

આને જ લગતી બીજી એક બાબતનો ઉલ્લેખ કરીએ. સમાજને દરેક સ્થરે તમને એવા લોકો મળશે જે પોત પોતાની રીતે દેશ કે સમાજ માટે કંઇ કરી રહ્યા છે. થોડા એવા પણ હશે  કે જેમણે પોતાના ભણતર, આવડત કે અનુભવથી પ્રેરાઇને કંઇક નવું પણ વિચાર્યુ હશે. આપણે આશા રાખીએ કે "મજામા?" જેવા પત્ર કે "બ્લોગ"ના માધ્યમ દ્રારા આપણે એમના વિચારો જાણી શકીએ તેમ જ વધુ વિચારવિનીમચ કરી શકીએ. કોઇપણ રર્ચનાત્મ્ક ને ઉપયોગી કામની શરુઆત સારા, મૌલિક વિચારોથી થતી હોય છે.

જે ભાઇબેનોને નીચેની બાબતો લાગુ પડતી હોય તેમનો સહકાર મળે તો મોટુ કામ થઇ જાય!
1
દેશપ્રેમ અને લોકો માટેની લાગણી
2
સમયની અનૂકુળતા
3
જ્ઞાન, પૈસા કે સત્તા
4
ઉત્સાહ ને ઉમંગ

ગુજરાતીઓની "સામુહિક કુશળતા"થી ગુજરાતમા અને ભારતમા સોનેરી નહિ તો રૂપેરી સુરજ જરૂર ઉગશે!

જય ગુજરાત! જય ભારત!