બુધવાર, 6 ફેબ્રુઆરી, 2013


6 ફેબ્રુઆરી, 2013

કોઈનો ખાસ આગ્રહ નથી (!) છતાંયે "મજામાં"મા નવો પ્રાણ ફૂંકવાનો નિર્ણય કર્યો છે.

.............................................................................................................................

આ બ્લોગમાંથી -
2012, 14 જૂન; ટિપ્પણ: 
"ગુજરાતીઓની "સામુહિક કુશળતા"થી ગુજરાતમા અને ભારતમા સોનેરી નહિ તો રૂપેરી સુરજ જરૂર ઉગશે!"


એ સંદર્ભમા, વિચારક ગુજરાતીઓ માટે એક વિચાર-વિનીમય: 

અમેરિકામા રેહતા ભારતીય લોકોને યહુદી  લોકો માટે નાનીમોટી  જાણકારી હોય છે. ધંધા શીકે આ કોમ બધી રીતે હોશીયાર છે;  અંહીના શેરબજાર અને રાજકારણમા તો એમનુ બહુ વજન પડે.   

સવાલ-જવાબ:
1: આવી ઉસ્તાદ કોમ "પોતાના" યહુદી દેશ ઇજરાએલમા કેવી  રીતે રાજ કરતી હશે?
2: ગુજરાતીઓ પણ ચકોર ને વહવારુ હોય છે. તો ન્યુ જર્સીના ગવર્નર ક્રીસ ક્રીસ્તી માટે તેમને શું લાગે છે?                                    
   તેમને આવા "માથાભારે ને આખાબોલા" માણસ સાથે ફાવે છે કે નહી?
3: તેની સરખામણીમા, બીજા બે ગવર્નર--હીલી અને જિંદાલ--ઢીલા છે એવું ખરું?
4: ઉપરના બે ભારતીય-અમેરિકન નેતાઓની સરખામણીમા, અસલ ગુજરાતી એવા નરેન્દ્ર્ મોદી માટે તમારો શું અભિપ્રાય છે? તેમને વડા પ્રધાનની  ખુરશી આપવી જોઈએ કે નહી? શું લાભાલાભ? 
5: કોઈ ગુજરાતી યહુદી ભાઈબેનને તમે ઓળખો છો?

......................................................................................................

ઉપરની ટીપ્પણમાંથી એક વધુ વાત:

"દેશમા એક બાજુથી કૂદકે ને ભુસકે વિકાસ થઇ રહ્યો છે તો બીજી બાજુએ રોજબરોજના જીવનમા અનેક મુશ્કેલીઓ છે. હમણા "ગેલપ સર્વે" થયેલો તેમા જણાવ્યુ કે ત્રીજા ભાગના ભારતવાસીઓને પૂરતુ સુખ કે સંતોષ નથી."


આને મળતી બાબતમા, છેક 1950મા વિનોબા ભાવેએ શું લખ્યું તે જોઈએ:


આખાય જગતમાં ગરીબોની આજે એવી દીનદશા છે કે કોઈ માતાની જેવી ઉત્કટ તલ્લીનતાથી તેમને સંભાળવાની, અને સંભાળવાની જ નહીં પણ તેમની સર્વાંગી ઉન્નતિ કરવાની જે હિંમત બાંધે ને હોંશ રાખે, તેણે જાણે સર્વ દોશોનો નાશ કરનાર હરિનામના મંત્ર જેવો ગુણ પ્રાપ્ત કર્યો એમજ કહેવું જોઈએ. 
(વિનોબાની ભૂમિકા; પુસ્તક-"ગાંધીજી અને સામ્યવાદ; લેખક, કિશોરલાલ મશરૂવાળા, 1951)

સવાલ-જવાબ:

હાલના, આધુનિક ગુજરાતમાં, ગરીબોની દીનદશા કેવી છે?

ગુરુવાર, 14 જૂન, 2012


મજામા?

majaamaa.blogspot.com
..................................................................................................

છગન - કમલ પ્રકાશન /  Chhagan - Kamal  Prakashan (Publication)
..................................................................................................................................................

નાનીમોટી ખબરોને સાચીખોટી રીતે સમજવાનો એક હળવો-ગંભીર, કડવોમીઠો પ્રયોગ!

              કોપીરાઇટ હસમુખ પારે
                                                                                                       
 "કેમ છો? મજામા?" એવું કોઈને બોલતાં સાંભળું એટલે થાય કે નક્કી ગુજરાતી હશે.
   (ગુજરાતી અને અંગ્રેજી ભાષાના જાણકાર તેમજ વિચારક - પર્સી પારેખ)
.................................................................................................................................................................................................. 

જે આ પવિત્ર સાહિત્યનુ નીત્ય પઠન કરશે તેને અગણીત લાભ થશે. ભક્તકવિ નરસિંહ મેહતાને દિવ્યદ્રશ્ટિથી આ ખબર હતી, અને એટલે જ તેઓએ "મજામા?" માટે લખ્યુ કે, " ભણે નરસૈયો તેનુ વાંચન કરતા કુળ એકોતેર તાર્યા રે"! અસ્તુ.

.......ચાલો, "મજામા?"ની શરૂઆત "આંટીઘુંટી"થી કરીએ! ગુજરાતી ભાષામાં આ એક નવું પગરણ છે; એ માટેનો વધુ રસિક ભાગ--વધુ ચોખવટ--આવતા અંકે!

એ દરમીયાન, તાત્કાલિક એક નમુનો: 

આંટીઘુંટી
29-5-12/ મુંબઇ સમાચાર /  ભીતરનાં વહેણ / કુલદીપ નાયર
"કૉંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષે સમજવાની જરૂર છે"

કેટલાક રાજ્યોના પ્રધાનો પણ બે નંબરના નાણાં ધરાવે છે. રાજકીય કારણથી તેમની સામે પગલાં લઈ શકાતા નથી. આથી લોકપાલ હોવો જોઈએ. કૉંગ્રેસ અને ભાજપે સમજવાની જરૂર છે કે લોકોને કાયમ મૂર્ખ બનાવી શકાતા નથી. - કુલદીપ નાયર
 
--- કાયમ નહી તો, ઘ્ણા વરસો સુધી  લોકોને મૂર્ખા બનાવી શકા છે એ તો ક્બુલ કરશો ને ?!!


હવે લાંચરુશ્વતથી  પણ એક મોટા પ્રશ્નની વાત કરીએ: આઝાદી પછી 65 વરસના--એક આખી પેઢી જેટલા--સમય બાદ, ભારતમાતાના કુટુમ્બની શું પરિસ્થિતિ છે એ બાબત માટે દરેક ભારતીયને પૂરતી ખબર ન હોવી જોઈએ?

દેશમા એક બાજુથી કૂદકે ને ભુસકે વિકાસ થઇ રહ્યો છે તો બીજી બાજુએ રોજબરોજના જીવનમા અનેક મુશ્કેલીઓ છે. હમણા "ગેલપ સર્વે" થયેલો તેમા જણાવ્યુ કે ત્રીજા ભાગના ભારતવાસીઓને પૂરતુ સુખ કે સંતોષ નથી.

લક્ષ્મી, સરસ્વતી અને ઇંન્દ્રના લાડકા એવા મોટા માણસોને આ વિષયની સારી એવી સમજ હશે જ. આમા મોટા પ્રાધ્યાપકો, વેપારીઓ, ધનપતિઓ, નિષણાતો, બેંકરો, મોટા સરકારી અધિકારીઓ અને સત્તાધારીઓ  આવી જાય. સામી બાજુ, સામાન્ય માણસો આવા અગત્યના વિષય માટે કેટલુ જાણે છે એ કેમ શોધવુ?

આને જ લગતી બીજી એક બાબતનો ઉલ્લેખ કરીએ. સમાજને દરેક સ્થરે તમને એવા લોકો મળશે જે પોત પોતાની રીતે દેશ કે સમાજ માટે કંઇ કરી રહ્યા છે. થોડા એવા પણ હશે  કે જેમણે પોતાના ભણતર, આવડત કે અનુભવથી પ્રેરાઇને કંઇક નવું પણ વિચાર્યુ હશે. આપણે આશા રાખીએ કે "મજામા?" જેવા પત્ર કે "બ્લોગ"ના માધ્યમ દ્રારા આપણે એમના વિચારો જાણી શકીએ તેમ જ વધુ વિચારવિનીમચ કરી શકીએ. કોઇપણ રર્ચનાત્મ્ક ને ઉપયોગી કામની શરુઆત સારા, મૌલિક વિચારોથી થતી હોય છે.

જે ભાઇબેનોને નીચેની બાબતો લાગુ પડતી હોય તેમનો સહકાર મળે તો મોટુ કામ થઇ જાય!
1
દેશપ્રેમ અને લોકો માટેની લાગણી
2
સમયની અનૂકુળતા
3
જ્ઞાન, પૈસા કે સત્તા
4
ઉત્સાહ ને ઉમંગ

ગુજરાતીઓની "સામુહિક કુશળતા"થી ગુજરાતમા અને ભારતમા સોનેરી નહિ તો રૂપેરી સુરજ જરૂર ઉગશે!

જય ગુજરાત! જય ભારત!