ગુરુવાર, 29 સપ્ટેમ્બર, 2016


September 9/ '16 at 9:38am / સપ્ટેમ્બર 9/ '16·

હસમુખ પારેખ

રાજુલા મૂળ વતન; પછી મુંબઈ અને હાલ કેલિફોર્નીઆ,અમેરિકા. રાજુલામા પેટ્રોલ પંપવાળા સંઘવી નજીકના સગાં.
સમજુ, વિચારક ભાઈ-બેનો માટે થોડા સવાલો:
(તમે જોશો કે આમા જણાવેલી વાતો, દુનિયાના બીજા કોઈ પણ શહેર/ગામડાં/સમાજને પણ લાગુ પડી શકે છે)

1 રાજુલામા ગરીબીનુ પ્રમાણ કેટલું?
2 કેટલા બાળકો ભુખ્યાં રેહતાં હશે?
3 શિક્ષણનુ ધોરણ કેવું?
4 વિચારક શિક્ષકોનો સંપર્ક કેમ કરવો?
5 જાણીતી સામાજિક સંસ્થાઓ કઈ છે?
તેમા ભાગ લેતા આગેવાનોનો સંપર્ક કેમ કરવો?
6 ગુજરાત અને ભારતની સરખામણીમા, અત્યારે રાજુલા માટે
સળગતા પ્રશ્નો ક્યા છે?
7 બીમારીનુ પ્રમાણ કેવું અને ઈલાજો માટે સગવડ કેવી છે?
8 ભારતીય સંસ્ક્રુતિ કેટલી હદે જળવાઈ રહી છે?
9 સ્થાનિક સમાચારોમા, કઈ બાબતોની ગરમાગરમ ચર્ચા થઈ રહી છે?
પ્રાંતીય, રાષ્ટ્રીય, અને આંતર્રાષ્ટ્રીય બાબતોમા રસ કેવો?
(10 સવાલો વાંચીને થાકી તો નથી ગયાને? ન થાકે એવા બુધ્ધિજીવીઓ
રાજુલામા કેટલાં?) /;O).
[ "વધુ રસિક ભાગ આવતા અંકે"...!/ હમણા તો, ભાઈશાબ*, આમા, તમારા સવાલો પણ ઉમેરો ને! /;O). ] */"મેડ્મ"

આ જ વસ્તુ, હવે અંગ્રેજીમા:

1 What is the extent of poverty in your area?
2 How many children go to bed hungry?
3 What do you think is the standard of education in your community?
4 How to contact thoughtful, dynamic teachers?
5 Which are the known NGO's in your area? How do we contact some of
their leaders?
6 In the context of national and state issues, what kind of controversial
issues you face locally in your area?
Are people interested in state and local issues?
7 How is healthcare in your area?
8 In terms of daily life, culture etc, is there any tension between the
traditional and the modern?
9 What are the current breaking/heartbreaking news locally in your area?
(10 ?We hope the questions did not tire you! How many intellectuals--in your circle--won't be tired by such questions?) /;O).
( More later; right now, you can start adding your own questions to the list! )

શુક્રવાર, 24 એપ્રિલ, 2015

4 - 24 - 15

તમારો ગમો-અણગમો અને તમારા સૂચનો?!
આપણી જટીલ સમ્સ્યાઓનો સામુહિક ઉકેલ?!

(સંજોગોવશાત, આવી બાબતમા રસ ન હોય અને આગળ ન વાંચી શકો તો ખોટું નહિ લાગે! તમારી સદ્દ્ભાવના હોય તો પણ ઘણુ.)*


ભારત, અમેરિકા અને દુનિયામા બધા સુખી છે કે નહિ? તમને એમ લાગતું હોય કે ત્રાસ તો ઘણો છે - ખાસ કરીને ગરીબોને- તો નીચેના મુદ્દા માટે તમારા મનામા શું વિચારો આવે છે?:

બધી જ બાબતોમા ધાર્યાં કરતા પ્રગતિ ઓછી છે?
તેના કારણો શું?
તમારું ભણતર અને અનુભવન જોતાં આનો ઉકેલ શું?
આ દિશામા તમે પાયાના, અસરકારક કામ થતાં જોયાં છે? અથવા તમે જ આવા કામમાં ભાગ લઈ રહ્યાં છો?
આવું નક્કર કામ કરવાવાળા લોકોને તમે ઓળખો છો?


ઉપર બહુ જ ટૂંકમા એક રૂપરેખા આપી; હવે તમે પણ થોડુંઘણું કંઈક ઉમેરો તો સારું!
સમરસિયા અને સમવિચારકો સાથે મળીને પણ "ભેજાનું દંહી" કરી શકે! એ માટે વધુ રસિક ભાગ આવતા અંકે!
.........................................................................................

*આવા "કેસ"મા, રોજ અમેરિકન ટીવી અને તેની  જા.ખ.થી  ટેવાયેલા લોકોને  એક સલાહ: Ask your doctor why you don't have interest in such matters! (તમે પણ કમાલ છો, વાંચીને થોડું તો હસો!)

ગુરુવાર, 8 જાન્યુઆરી, 2015

1  8  15

પેરીસમા ખબરપત્રીઓની હત્યા


એક વિચાર: તમારો વિચાર?

જીસસ-ગાંધીની જેમ ક્ષમાવ્રૃત્તિ રાખવી--કાયદાને એની રીતે કામ કરવા દેવું.
મુસ્લીમ ભાઈબેનો પાસેથી વિચારવિનીમયથી જાણવું કે આ કઈ રીતે અટકાવી શકાય?
ગરીબ મુસ્લીમ-બીનમુસ્લીમો માટે, બધા જ ધર્મોવાળાએ ભેગા થઈ રાહતના કામો યોજવા

સોમવાર, 5 જાન્યુઆરી, 2015


1 - 5 - 15

શું  ખબર  છે?  કંઇ   નવીન?

તમારા -
સૂચનો
સવાલો
ટીકા-ટીપ્પણ
જાણવા જેવી "લીંક્સ"

તાત્કાલિક 2 બાબતો માટે:

1 નરેંદ્રભાઈનો  દિલ્હી દરબાર-કારભાર
2 મા ભારતની પ્રગતિમા સોનીયાબેનના કુટુંબનું  જમા-ઉધાર પાસું
 નવનિર્માણ:
ભારતનુ...સમાજનુ...વિચાર વિનિમયની રીતરસમનુ.....

1 "યથા રાજા તથા પ્રજા; યથા પ્રજા તથા રાજા" એ સિધ્ધાંતોને અનુસરીને, ગામેગામ "આધુનિક" ગ્રામપંચાયતોની(Block Committees etc.) મદદથી, નરેન્દ્રભાઈ, સોનિયા કે જયલલીતા જેવા નેતાઓને કેવી રીતે "સલાહ-સહકાર" આપી શકાય તેની વિચારણા માટે સમય પાકી ગયો છે ખરો?

2 નમોતંત્રે સૌથી પહેલું શું કામ કરવુ તેનુ એક નમ્ર સૂચન:
  પ્રજાના ગરીબવર્ગ--મુસ્લીમો સીકે--ના પ્રશ્નો માટે બે રીતે જાણકારી ભેગી કરવી:
  (1) સમાજશાસ્ત્ર કે "પોલીંગ"ની મદદથી તેમની મુશ્કેલીઓનુ સર્વેક્ષણ
  (2) અર્થશસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ, વેપારી આલમ, સમાજસેવકો વગેરેનો તટસ્થ અભિપ્રાય મેળવવો
  આ માહિતીને આધારે, આ વર્ગને જલદીથી સારી તકો મળે તેવા પગલાં વિના વિલંબે લેવાય તેની        માગણી   કે "ચળવળ" કરવી.

3 "મજામા"મા રજુ થયેલા વિચારો શિક્ષીતો, કોમ્પ્યુટરથી પરિચીત વ્યક્તિઓ સિવાય ઓછુ ભણેલા લોકોમા પણ ફેલાય તે માટે શું કરવું?

ખરું કહીએ તો, આવા કામમા બધાની જ નાનીમોટી મદદ મળે તો જલદી કામ થાય!

(નોંધ: આ લખાણમા ઘણો સુધારો કરવાનો બાકી છે)


બુધવાર, 13 માર્ચ, 2013

["મજામા?": નાનીમોટી ખબરોને સાચીખોટી રીતે સમજવાનો એક હળવો-ગંભીર, કડવોમીઠો પ્રયોગ!]

( નીચે મગજને કસરત મળે તેવી, જાણવા જેવી ચાર વસ્તુઓ--અ,બ,ક,ડ-- આપી છે. [યાહૂનું અનુકરણ!] જે ન સમજે એને સમજવો?!! જસ્ટ કિડિંગ--just kidding![અમેરિકાનું અનુકરણ!] )


નોંધ:
1 હજી આ બ્લોગમાં સુધારાવધારા કરવાનુ બાકી છે. દા.ત."મારા વિશૅ"(Profile)--એ ગુજારાતીમાં મૂકવાનું નથી બન્યું. આ બાબતમા કોઈ જાણકારની મદદ મળે તો કામ થઇ જાય! સીલિકોન વેલીના એક જાણીતા ભકતકવિએ કહ્યું છે તેમ, "ટેકીજન તો તેને કહીએ જે (IT)આઈ.ટી.નું  દુખ જાણે રે".
2 હમણા તો જોડણી પર ધાર્યું ધ્યાન નથી આપી શકાયું.
3 આગળ ચાલતાં યુવકવર્ગ માટે બધું અંગ્રેજીમાં ભાષાંતર કરીને પણ લખવું પડે.
4 તમારો અભિપ્રાય અંગ્રેજીમાં લખી મોકલશો તો પણ ચાલશે.
5 સંજોગોવશાત, આ બ્લોગની ગાડી રજવાડા વખતની બાપુની ગાડી જેમ ડચકા ભરતી આગળ વધે છે! અત્યાર સુધી આપેલી નોંધો-postsનો ક્રમ કદાચ ગુંચવાડાભર્યો લાગે. જોકે આપણે જાણીએ છીએ એમ બ્લોગ એ એક નોંધપોથી કે રોજનીશી છે એટલે છેક શરૂઆતમાં લખેલી વસ્તુનુ સ્થાન સાવ નીચે હોય એ સ્વાભાવિક છે.

આ કારણે જ એક જરૂરી વિનંતી:
ફીલસુફ પર્સીના (પાઋષી) ફોટોવાળી, (14 જૂન,2012) નોંધથી આ આખો બ્લોગ વાંચવાનુ ચાલુ કરો તો આ અવનવા પ્રયાસનો હેતુ શું છે તે વધુ સારી રીતે સમજાશે.

............................................................................................................................................

બ,ક

બે વિચાર:

(1)
સમાજના વિકાસમાં પાયાનો ફાળો આપતા હોય તેમાના થોડાં લોકો:

હોંશીયાર વિધ્યાર્થી
હોંશીયાર જુવાન વેપારી
સારા શિક્ષક
સમજુ ને પીઢ માબાપ
ભલા ને વ્યવહારુ સમાજસેવક
હોંશીયાર, સમજુ, વ્યવહારુ ને પ્રમાણિક લોકપ્રતિનિધીઓ...........

તમને નથી લાગતું કે સમાજમાં આવા લોકોની સંખ્યા વધતી જાય તો દેશ આખાનો સીનો ફરી જાય?
તો,આવી વ્યક્તિઓને કેમ શોધવી? તેમને વધુમાં વધુ પ્રોત્સાહન, ટેકો કે મદદ કયા રૂપમાં આપી શકાય? આ વિશે હવે આપણે બધાંયે સાથે મળીને વિચારવિનીમય કરવાની જરૂર ઊભી થઈ છે કે શું?
આ વિષય માટે તમારા વિચારો લખી મોકલો; તમારા જ્ઞાન અને અનુભવનો બીજાને લાભ મળે તો  સારૂં.

........................................................................................................................

(2)
તાલીબાન સ્ત્રીશિક્ષણ માટે સામે ચાલીને હા પાડે તો?


એવું શું કામ ન બને? કામ સારું હોય તો અશક્ય વસ્તુ પણ શક્ય થઈ જાય છે.

સ્થળ:  ગરીબી ને હાડમારી વાળા પ્રદેશો જેવા કે અફઘાનીસ્તાન, પાકિસ્તાન વગેરે
ઉપાય:  સમાજમાં જરૂરી ઉપયોગી પ્રવ્રુત્તિઓ અને શિક્ષણનો સમ્નવય

1 આધુનિક વિજ્ઞાન અને સાધનસામગ્રીનો ઉપયોગ કરીને સરળ ને સસ્તી રીતે ઘરકામની પધ્ધતીઓમાં સુધારા લાવવા. છોકરીઓને નાનપણથી જ આ માટે વ્યવસ્થીત શિક્ષણ આપવું. આ વિધ્યાર્થીનીઓ ભણતા ભણતા, ઘરમાં અને બહાર અભણ બૈરાઓને બધું શીખવે અને મદદ કરે. ભણતર પત્યાં પછી આમાંથી સહકારી ધંધા જેવું પણ ઊભું કરી શકાય. આવા ઉપયોગી કાર્ય માટે તાલીબાનને શું વિરોધ હોઈ શકે? તે લોકો પણ ગરીબ વર્ગને મદદ કરવામાં માને છે.
2 બાળઉછેર
3 માંદાઓની સારવાર ને સંભાળ
4 વ્રુદ્ધજનોની સંભાળ
5 વધુ વ્યવસ્થીત તેમજ આધુનિક ખેતીકામ, ઢોરઉછેર, ગ્રુહઉધ્યોગો, હસ્તકળાઓ વ.

રોજના જીવનની આવી બધી વસ્તુઓમાં સ્ત્રીશિક્ષણથી ગજબનો ફેરફાર થઈ શકે.

6 આ ઉપરાંત, ભણેલી સ્ત્રીઓ પોતાના ધર્મને વધુ ઊંડાણથી સમજી શકશે. તાલીબાન પોતે પણ ધાર્મિક
સંસ્કારો ફેલાવવા માંગે છે. આ હેતુથી પણ તેમણે સ્ત્રીશિક્ષણ વધાવી લેવું જોઈએ.

આ ક્રાંન્તિકારક વિચાર માટે નીચે જણાવેલા લોકો કે સંસ્થાઓનો શું મત છે તે જાણ્વું જોઈએ.
"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" એ ધ્યાનમાં રાખીને, ગુજરાત ઉપરાંત બીજા સ્થળોમાંથી પણ મતમતાંતર જાણવા જોઈએ.
દા.ત. મુંબઈ જેવા શહેરો, પાકીસ્તાન, આફ્રીકા, ફીજી, ઓસ્ટ્રેલીઆ, યુરોપ, બ્રિટન, કેનેડા, અમેરીકા વ.

1 ચુવાન વિધાર્થીનીઓ અને સ્ત્રીઓ
2 શાળા-કોલેજના શિક્ષકો--ખાસ કરીને સ્ત્રીશિક્ષિકાઓ
3 ધંધાની દુનીયામાં પ્રવુત્ત બહેનો
4 મહિલા સંસ્થાઓ
5 સ્ત્રી નેતાઓ અને સમાજસેવકો
6 કલા અને આનંદપ્રમોદના ક્ષેત્રમાં સક્રીય બહેનો
7 ઇસ્લામ અને બીજા ધર્મના ધર્મગુરુઓ, વિદ્વાનો,પ્રચારકો વ.--ખાસ કરીને જાણકાર વિદ્વાન સ્ત્રીઓ;
   ઇસ્લામના બીનમુસ્લીમ નિષ્ણાતો શું કહે છે એ પણ જાણવું જરૂરી છે.
8 અલબત્ત તાલીબાન માટેના જાણકાર એવી વ્યકતિઓનો પણ અભિપ્રાય પૂછવો.

બહેનોને પૂછીએ એ સ્વાભાવિક છે; પણ બાકી તો ઉપરના ક્ષેત્રમાં જાણકાર ભાઈઓ સાથે પણ વાત કરવી જોઈએ.
ખાસ કરીને મુસ્લીમ ભાઈબેનોને શું લાગે છે તે જાણવું ખાસ જરૂરી છે.

જૂદાજૂદા પ્રદેશોમાં આવા જરૂરી વિષયની ચર્ચા કરવા નાનામોટા જૂથ પણ ઊભા થાય એવું બને. આ
બધી પ્રક્રીયામાંથી એક પ્રક્રારનું ચિત્ર ઊભું થાય અને નક્કર પગલાંઓ માટે સૂઝ પડે. આપણે આશા રાખીએ કે આવી શાંતીમય જનજાગ્રુતિ દ્વારા મુસ્લીમ સમાજનો અને સ્ત્રીશિક્ષણનો એક જટીલ પ્રશ્ન ઉકલે. આના પરીણામે, બીજી બાબતોમાં પણ આવા પ્રયોગો અજમાવવામા આવે તો સોનામાં સુગંધ ભળે.

................................................................................................................................


આના અનુસંધાનમાં જુન 14,20012ના બ્લોગમાં આપેલી નોંધ ફરી નીચે મૂકીએ છીએ:

જે ભાઇબેનોને નીચેની બાબતો લાગુ પડતી હોય તેમનો સહકાર મળે તો મોટુ કામ થાય!
1
દેશપ્રેમ અને લોકો માટેની લાગણી
2
સમયની અનૂકુળતા
3
જ્ઞાન, પૈસા કે સત્તા
4
ઉત્સાહ ને ઉમંગ

................................................................................................................................................................................

"કંઈ નવીન?..... સમાચાર, વિચાર, ટીકા-ટીપ્પણ, ટૂચકા, ગપ્પા-સપ્પા, ......જીવનના અનુભવો, જૂના જમાનાની વાતો?.......ભાઈસાબ, કંઈક તો કો!"

  

બુધવાર, 6 ફેબ્રુઆરી, 2013


6 ફેબ્રુઆરી, 2013

કોઈનો ખાસ આગ્રહ નથી (!) છતાંયે "મજામાં"મા નવો પ્રાણ ફૂંકવાનો નિર્ણય કર્યો છે.

.............................................................................................................................

આ બ્લોગમાંથી -
2012, 14 જૂન; ટિપ્પણ: 
"ગુજરાતીઓની "સામુહિક કુશળતા"થી ગુજરાતમા અને ભારતમા સોનેરી નહિ તો રૂપેરી સુરજ જરૂર ઉગશે!"


એ સંદર્ભમા, વિચારક ગુજરાતીઓ માટે એક વિચાર-વિનીમય: 

અમેરિકામા રેહતા ભારતીય લોકોને યહુદી  લોકો માટે નાનીમોટી  જાણકારી હોય છે. ધંધા શીકે આ કોમ બધી રીતે હોશીયાર છે;  અંહીના શેરબજાર અને રાજકારણમા તો એમનુ બહુ વજન પડે.   

સવાલ-જવાબ:
1: આવી ઉસ્તાદ કોમ "પોતાના" યહુદી દેશ ઇજરાએલમા કેવી  રીતે રાજ કરતી હશે?
2: ગુજરાતીઓ પણ ચકોર ને વહવારુ હોય છે. તો ન્યુ જર્સીના ગવર્નર ક્રીસ ક્રીસ્તી માટે તેમને શું લાગે છે?                                    
   તેમને આવા "માથાભારે ને આખાબોલા" માણસ સાથે ફાવે છે કે નહી?
3: તેની સરખામણીમા, બીજા બે ગવર્નર--હીલી અને જિંદાલ--ઢીલા છે એવું ખરું?
4: ઉપરના બે ભારતીય-અમેરિકન નેતાઓની સરખામણીમા, અસલ ગુજરાતી એવા નરેન્દ્ર્ મોદી માટે તમારો શું અભિપ્રાય છે? તેમને વડા પ્રધાનની  ખુરશી આપવી જોઈએ કે નહી? શું લાભાલાભ? 
5: કોઈ ગુજરાતી યહુદી ભાઈબેનને તમે ઓળખો છો?

......................................................................................................

ઉપરની ટીપ્પણમાંથી એક વધુ વાત:

"દેશમા એક બાજુથી કૂદકે ને ભુસકે વિકાસ થઇ રહ્યો છે તો બીજી બાજુએ રોજબરોજના જીવનમા અનેક મુશ્કેલીઓ છે. હમણા "ગેલપ સર્વે" થયેલો તેમા જણાવ્યુ કે ત્રીજા ભાગના ભારતવાસીઓને પૂરતુ સુખ કે સંતોષ નથી."


આને મળતી બાબતમા, છેક 1950મા વિનોબા ભાવેએ શું લખ્યું તે જોઈએ:


આખાય જગતમાં ગરીબોની આજે એવી દીનદશા છે કે કોઈ માતાની જેવી ઉત્કટ તલ્લીનતાથી તેમને સંભાળવાની, અને સંભાળવાની જ નહીં પણ તેમની સર્વાંગી ઉન્નતિ કરવાની જે હિંમત બાંધે ને હોંશ રાખે, તેણે જાણે સર્વ દોશોનો નાશ કરનાર હરિનામના મંત્ર જેવો ગુણ પ્રાપ્ત કર્યો એમજ કહેવું જોઈએ. 
(વિનોબાની ભૂમિકા; પુસ્તક-"ગાંધીજી અને સામ્યવાદ; લેખક, કિશોરલાલ મશરૂવાળા, 1951)

સવાલ-જવાબ:

હાલના, આધુનિક ગુજરાતમાં, ગરીબોની દીનદશા કેવી છે?